Saturday, June 8, 2013

Har Jai Chehre Wafa Ka

Dhananjay Parmar
Dhananjay Parmar 
Doob jaye’in gey sitarey aur bikhar jaye gi raat..
Dekhti reh ja’ein gi ankh’ein guzar jaye gi raat.!!
Hi friend’s
This is just poem and shayari,


Zamane wale kabhi bhi apne nahin hote
Har jai chehre wafa ka pekar nahin hote

Jin k pass hoti hain umer bhar ki yadain
Wo log tanhai me bhi tanha nahin hote

Na daikh yon kisi ghareeb ko nech nazroon se
Koi majbori na ho to hath phele nahin jate

Waste daite hain abb Khoda k tujhe
Aur hum se abb jabar sehne nahin hote

Shaid ajj me tere naseeb me hota
Agar tum mere ansaon par hanse nahin hote

Bhool jate hain jo apni mohabbat ko
Ankhon me un k anso nahin hote

Photata hai jin k andar chashma mohabbat ka
Daman un k kabhi mele nahin hote

HUSSNAIN chahte hain jo kisi ko sache dil se
Aik din k wo mehtaj nahin hote


Mehsos hota hai dard dil ka
Yaad karta hon jab tumhen dil me

Karne gea tha tujh se izhar-e-mohabbat
Reh gai dil ki batain mere dil me

Bholana jo chaha har aik ka chehra to
Bus gai sirf teri sorat kahen dil me

Chor dia hai mene abb har aik ko
Basaea tha zamane ko kabhi dil me

Kabhi zarorat parhi to shaid kaam hi aa jae
Tere thane sambhal rakhe hain dil me

Kabhi milen fursaten to loot ana tum
Jaga bacha rakhi hai abb bhi dil me

Na poch yee sun kar takleef hi ho gi
Tere ghamon ko chopa rakha hai dil me

Jo suna hai kia such suna hai?
Bus gae ho tum kisi ghair k dil me

HUSSNAIN zamane ko kahin khabar hi na ho jae
Chopae rakhate hain har khawaish dil me


જુદી જિંદગી છે મિજાજેમિજાજે;
જુદી બંદગી છે નમાજેનમાજે.

છે એક સમંદર, થયું એટલે શું ?
જુદા છે મુસાફર જહાજેજહાજે.

ભલે હોય એક અંતરથી વહેતા,
છે સૂરો જુદેરા રિયાજેરિયાજે.

જુદા અર્થ છે શબ્દના બોલવા પર,
છે શબ્દોય જુદા અવાજેઅવાજે.

જીવન જેમ જુદાં છે કાયામાં જુદી,
છે મૃત્યુય જુદાં જનાજેજનાજે.

હઠી જાય ઘૂંઘટ, ઢળી જાય ઘૂંઘટ,
જુદી પ્રીત જાગે મલાજેમલાજે.

તમે કેમગાફિલહજીયે છો ગાફિલ ?
જુઓ, બદલે દુનિયા તકાજેતકાજે.

Credit : મનુભાઇ ત્રિવેદીગાફિલ


સહેજ મારે તારા જેવું પણ થવું છે
લાવ તારી જીભ મારે બોલવું છે

જેમ તું મારા હાથેથી લખે છે
એમ મારે તારી આંખે વાંચવું છે

આપણે સાથે ઊભાં છીએ ગગનમાં
ધરતી પર આવી અને પણ ચાલવું છે

જે ઘડી મારું ઘડી તારું લાગે
ચિત્ર એવું એક સાચું દોરવું છે

તું નદી ક્યાં, એક પાણીનું ટીપું છે
જેમાં રજકણ થઈને મારે ડૂબવું છે

તું ભીતરમાં છે તો સામે કઈ રીતે છે
આટલું અધ્યાત્મ કેવળ જાણવું છે

Credit : ભરત વિંઝુડા



Dhananjay Parmar
Dhananjay Parmar

Sunday, June 2, 2013

Muhabbat Haadsa Hai

Dhananjay Parmar
Dhananjay Parmar
Jugnu ko qaid kar k muskaraya na karo,
Roshni ki khatir kisi ka dil jalaya na karo,
Sitam karna hai karo par itna na karo Dhananjay !
Yaad nahi karsakte to yad aaya na karo....

Hi friend’s
This is just poem and shayari,
And
Love Story :


વાત્સલ્ય ... ( LOVE ) ..


ગાયના ગર્ભમાં રહેલું વાછરડું જ્યારે બહાર આવે ત્યારે ગંદકીથી લપેટાયેલું હોય છે. ગાય તેને પોતાની જીભથી સ્વચ્છ કરે છે. સંસારને જેવા વાછરડાની જરૂર છે એવું ચોખ્ખું વાછરડું તે આપે છે. ગાયના વાછરડા પ્રત્યેના પ્રેમને આપણેવાત્સલ્યકહીએ છીએ. ફક્ત મૂંગા પ્રાણીઓમાં સંબંધ હોય એવું નથી, પક્ષીઓમાં પણ તે જોવા મળે છે. મારા બાગમાં જ્યારે બુલબુલ માળો બનાવે, ઈંડા મૂકે, એને સેવે અને એમાંથી જ્યારે બચ્ચાં નીકળે ત્યારે બચ્ચાં માટે બુલબુલ ઈયળ-જીવડાં-ફળના ટુકડા વગેરે લઈને આવે અને ખવડાવે. માળો જ્યારે ખાલી હોય ત્યારે આપણે સ્પર્શ કરીએ તો એમાં બનેલી પથારીમાં નાના પીંછાં, સુંવાળું ઘાસ વગેરે જોવા મળે. કુદરતી રીતે પોતાના જીવોનો વિકાસ પરમાત્માએ માતાના હાથમાં મૂક્યો હશે. સંસારનો સૌથી નિર્મળ પ્રેમ હોય તો તે ઈશ્વરનો હોય પરંતુ તે પછીનું સ્થાન તો માતાનું ચોક્કસ છે.

પોતાની આર્થિક પરિસ્થિતિ ગમે તે હોય, દરેક માતા પોતાના બાળકના શારીરિક, માનસિક, ધાર્મિક અથવા આધ્યાત્મિક વિકાસ માટે તત્પર રહે છે. એના જીવનનું કેન્દ્ર એનું બાળક હોય છે. ‘વાત્સલ્યશબ્દ એવો છે જેનું વર્ણન શબ્દોમાં કરી શકાય. એની કિંમત રૂપિયામાં આંકી શકાય. પ્રેમની સાથે લાગણી ઉમેરવાથી સ્નેહ બને છે. સ્નેહમાં જ્યારે નિસ્વાર્થ ભાવના ઉમેરાય તો વાત્સલ્ય બને છે. એની કોમળતાનું અનુમાન નહિ પણ અનુભવ કરી શકાય છે. માટે આપણી અંદર પાત્રતા હોવી જરૂરી છે.

વળી વાત્સલ્ય કુદરતી રીતે પેદા થાય છે. એને પેદા કરી શકાતું નથી. વાત્સલ્ય બે જીવ વચ્ચે અનોખું વાતાવરણ પેદા કરે છે. એમાં માલિકીભાવ કે સ્વાર્થ, સામેથી મેળવવાની ઈચ્છા કે કોઈ શંકા ક્યારેય હોતા નથી. માતા જ્યારે પોતાના ભૂખ્યા બાળકને ધાવણ આપતી હોય વખતની કલ્પના કરો. માનો સ્નેહભર્યો હાથ જે બાળકના કપાળ-માથા પર અથવા પીઠ પર ફરતો હોય, માતાનું ધ્યાન ફકત બાળકના હલનચલન પર હોય. દશ્ય વાત્સલ્યનું પ્રગટરૂપ છે. બે ભાઈ, બે મિત્રો કે બે ભાઈ-બહેન, પતિ-પત્ની વચ્ચે પણ આવો નિર્મળ પ્રેમ શક્ય બને છે. એમાં જ્યારે લાંબા સમયનો સંપર્ક હોય, એકબીજાને સમજવાની ઊંડી ધીરજ હોય તો પ્રેમ શક્ય બને છે.

વર્ષો વીતી ગયા. હું જ્યારે વડોદરા કૉલેજમાં ભણતો હતો ત્યારે મેડીકલ કૉલેજથી મારી હૉસ્ટેલ જવાનો કોઠી ચાર રસ્તા તરફનો રસ્તો હજી આજે પણ મને યાદ છે. ત્યાં ટ્રાફિક સિગ્નલની પાછળ ઢાળ ઊતરતા જમણી તરફની ફૂટપાથ પર એક વૃદ્ધ બેસતો હતો. વાળ બિલકુલ સફેદ, મોટું કરચલીવાળું કપાળ, અંદર ઊતરી ગયેલી ઊંડી આંખો, વધી ગયેલી સફેદ દાઢી…. યુવાનીમાં કદાચ પાણીદાર યુવાન હશે પણ કાળની થપાટે એને ક્યાંય ફેંકી દીધો હતો. બાંય વગરનું પહેરણ અને ફાટેલો પાયજામો તે પહેરતો. ગંદકીનું તો પૂછવું શું ! આજુબાજુ પાર વગરના ચીંદરડા. ડોસો ચીંદરડામાં આખો દિવસ કશુંક શોધતો રહેતો. એની બાજુમાં બેસતી સદા હસતી રહેતી આશરે 24-26 વર્ષની એક છોકરી. કોઈકે એના વાળ કાપીને બિલકુલ બોયકટ કરી નાંખ્યા હતા. એનો પણ ધૂળવાળો ચહેરો ને પીળા દાંત પરંતુ આંખોમાં અનેરી ચમક. તે હંમેશા પેલા વૃદ્ધને તાકી રહેતી. કોઈ ખાવાનું આપે તો પહેલા જુએ, ચાખે અને પછી પેલા વૃદ્ધને ખવડાવે. નિરાંતની પળોમાં બંને જણા કંઈક વાતો કરતાં ખડખડાટ હસે. જો કોઈ પૈસા નાખે તો બંને જણ તરફ જુએ પણ નહિ.

ક્યારેક પોતાનો રદ્દી સામાન લઈને ચાલતા દેખાય. ડોસાનો એક હાથ કાપડના ટુકડા પકડે અને બીજા હાથે પેલી દીકરીના ખભાનો સહારો લે. છોકરીને પગે સ્હેજ પોલિયોની અસર એટલે લાકડીનો ટેકો લઈને ચાલે. વરસાદ હોય, કડકડતો શિયાળો હોયએમની જગ્યા ત્યાં હોય. ખૂબ મોટું ઝાપટું પડે તો બંને જણા ચાની લારીના છાપરા નીચે ભરાય. બંનેને યાદ કરું ત્યારે વિચારું કે કયો સ્નેહ ? ફક્ત એક સ્ત્રી અને પુરુષ કે પછી બાપ અને દીકરીજે પણ હશે પણ તે પ્રત્યક્ષ ભાવ-સ્નેહ વાત્સલ્યથી જરાપણ ઊતરતું નથી લાગતું. વાત્સલ્ય ક્યાંક ક્યાંક કુદરતી રીતે પ્રગટ થતું લાગે છે. જ્યારે વાત્સલ્ય હોય છે, મમતા-સ્નેહ હોય છે ત્યારે જગતના લૌકિક એવા ધન કે સ્થળની પરવા હોતી નથી. એની ઝરમર વર્ષમાં તરબોળ થયેલાં માનવી પોતાનામાં એવા મસ્ત રહે છે કે આખો આલમ એમને માટે કોરો રહે છે.

વાત્સલ્યનો ભાવ આપણી અંદર એની મેળે કોઈકને માટે પેદા થાય છે. તેને અટકાવી નથી શકાતો. જેને એનો અનુભવ થાય છે તે પોતાની જાતને ધન્ય માનતો થઈ જાય છે. બધું પરમાત્માની કૃપા પર આધારિત છે..

CREDIT : ડૉવિક્રમ પટેલ, 
This Story, Article ( વાત્સલ્ય ) supplied by ડૉવિક્રમ પટેલ,
Thanks ડૉવિક્રમ પટેલ


Dhananjay Parmar
Dhananjay Parmar