Thursday, October 5, 2023

Yaar Ka Sataya Hua Hai

જંગલોના સન્નાટા ક્યાં મને ગણાવે તું ?

મેં નગરના કરફ્યુમાં જિંદગી ગુજારી છે.

 

ઓસરીના દીવા પર આપને ખુમારી છે,

મેં ય વાવાઝોડાની આરતી ઉતારી છે.

 

સાવ ખાલી હાથે પણ આલીશાન જીવ્યો છું,

મેં સતત ગઝલ માફક, જિંદગી મઠારી છે.

 

શાણપણ કહે છે કે દિલ તો સાવ પાગલ છે,

દિલ કહે છે, બુધ્ધિ તો બેશરમ ભિખારી છે.

 

એ ગુંલાટો ખવડાવે, નાચ પણ નચાવી દે,

જિંદગી ઓછી નથી, જિંદગી મદારી છે.


Credit : ખલીલ ધનતેજવી