Dhananjay Parmar Mohabbat mein kabhi woh daur bhi aaya kartey they, Mein unme samaya karta tha, woh mujme samaya karte they.. |
This is just poem and shayari,
અમે સમજી ગયા છે આજ એ સૂચક ઇશારા ને.
ધરે છે મૌન પણ કહેતાં નથી કંઈ ચાહનારા ને.
તમરા હોઠ તો મલકી ગયા, આ હોઠ પર બંદિશ,
હ્રદયની વેદના પૂછો હ્રદયના બાળનારા ને.
જિગરની વેદનાને આંખથી રેલાય જાવા દો,
હવે ન રોકશો આવીને અશ્રુ સારનારા ને.
અમે તૂફાન સાથે ખેલતા મઝધારે જઈ બેઠાં,
તમે પકડી હજી બેસી રહ્યા છો આ કિનારા ને.
નજર જો હોય જો સાચી બધા દ્ર્શ્યો જ સુંદર છે,
નજરમાં હોય જો ખામી તો દોષો કયાં નઝારા ને.
ઘણી વસમી સફર એ હોય છે સહુ સ્નેહી જન માટે,
છતાં રોકી શકે છે કોણ આ જગથી જનારા ને.
બુલંદીનો અહમ જયારે કદી ઘુમરાઇ છે મનમાં.
‘વફા’નિરખી લઉં છું હું જરા ખરતા સિતારાને.
Credit : (11-6-1967 ના તરહી કલમી મુશાયરાની ગઝલ’ઇસ્માઇલી’)
પંક્તિ:ઇશારામાં અમે સમજી ગયા તારા ઇશારાને
ધરે છે મૌન પણ કહેતાં નથી કંઈ ચાહનારા ને.
તમરા હોઠ તો મલકી ગયા, આ હોઠ પર બંદિશ,
હ્રદયની વેદના પૂછો હ્રદયના બાળનારા ને.
જિગરની વેદનાને આંખથી રેલાય જાવા દો,
હવે ન રોકશો આવીને અશ્રુ સારનારા ને.
અમે તૂફાન સાથે ખેલતા મઝધારે જઈ બેઠાં,
તમે પકડી હજી બેસી રહ્યા છો આ કિનારા ને.
નજર જો હોય જો સાચી બધા દ્ર્શ્યો જ સુંદર છે,
નજરમાં હોય જો ખામી તો દોષો કયાં નઝારા ને.
ઘણી વસમી સફર એ હોય છે સહુ સ્નેહી જન માટે,
છતાં રોકી શકે છે કોણ આ જગથી જનારા ને.
બુલંદીનો અહમ જયારે કદી ઘુમરાઇ છે મનમાં.
‘વફા’નિરખી લઉં છું હું જરા ખરતા સિતારાને.
Credit : (11-6-1967 ના તરહી કલમી મુશાયરાની ગઝલ’ઇસ્માઇલી’)
પંક્તિ:ઇશારામાં અમે સમજી ગયા તારા ઇશારાને
Dhananjay Parmar |
No comments:
Post a Comment